Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિતે સ્કૂલની બાળકીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત નવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને વિશાખા બા ફાઉન્ડેશન અને સામાજીક આગેવાન દ્વારા ગૌરીવ્રતના ઉપવાસ નિમિતે સુકામેવા અને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સામાજીક આગેવાન ગણેશ અગ્રવાલ દ્વારા નગરપાલિકા સંચાલિત નવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને ગૌરીવ્રત નિમિતે ઉપવાસમાં લેવાતા સુકામેવા અને ફળફળાદીના વિતરણ અંગેનો કાર્યક્રમ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ, સામાજીક આગેવાન ગણેશ અગ્રવાલ, શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા, રમણ પટેલ, નરેશ મોદી સહીત વિશાખા બા ફાઉન્ડેશનના ધર્મેશ ચૌહાણ સહીત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, જાણો શું છે તલાટીઓના પડતર પ્રશ્નો..?

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાત્રી સમયે આગ લાગવાની બે ઘટનાઓ સામે આવી, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે દેડીયાપાડાના મતદાન મથકોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!