Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.

Share

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે અને કોરોના વાયરસના વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી રૂપે સુરત જિલ્લાના બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ કાર્યક્રમો તારીખ 1-4-2020 બુધવાર માતાજીના આઠમનો હોમ-હવન કાર્યક્રમ તેમજ 6-4-2020 સોમવારના રોજ મંદિરનો પાટોત્સવ સાલગીરી તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલો છે જેની મૈસુરિયા/ભાટીયા સમાજના તેમજ સૌ ભક્તોએ નોંધ લેવા વિનંતી. બારડોલી પ્રદેશ મૈસુરિયાં ટ્રસ્ટી મંડળે એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ગૌરીવ્રતના પ્રારંભ પહેલાં ભરૂચ શહેરમાં તૈયાર જવારાનું વેચાણ

ProudOfGujarat

સાબરીયાના સુરેશ્વર મહાદેવ મંદિરના મહંત હરદેવ મુનિ મહારાજે ગુરુપૂર્ણિમા પાવન અવસરે શિષ્યોને આશીર્વાદ આપ્યા.

ProudOfGujarat

ભરૂચમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મદદે આવ્યા રીક્ષા ચાલકો, જિલ્લા પોલીસે કરફ્યુમાં ફરવા માટે 70 જેટલા રીક્ષા ચાલકોને આપ્યા પાસ, 10 જેટલા રીક્ષા ચાલકો પીપીઈ કીટ પહેરી દર્દીઓને આપશે વિના મૂલ્યે સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!