વાંકલ: ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામના કદવાલી ફળિયામાં રહેતા નિલેશભાઈ મધુકરભાઈ વસાવા (ઉ.વ. ૩૬)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, ધાણાવડ ગામની સીમમાં કરમસીંગ વસાવાના ખેતરમાં આવેલી ઝૂંપડીમાં નિલેશભાઈએ પોતાના મફ્લર વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
Advertisement
આ બનાવ અંગે મૃતકના પિતા મધુકર ઉત્તમભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
