Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાયત્રીનગરના શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

Share

 

ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.

Advertisement

કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી સત્યનારાયણ ભગવાનના પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી. કથાવાચકે અધિક પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ, શ્રી સત્યનારાયણ ભગવાનની મહિમા તથા સનાતન ધર્મના સંસ્કારો અંગે ભાવિકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કથા દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ ભાવપૂર્વક કથાશ્રવણ કર્યું હતું. અંતમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

ત્યારબાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો અને ભક્તજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

નડિયાદ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નેત્રંગમાં ૪, વાલિયામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો 

ProudOfGujarat

ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!