Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાયત્રીનગરના શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

Share

 

ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.

Advertisement

કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી સત્યનારાયણ ભગવાનના પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી. કથાવાચકે અધિક પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ, શ્રી સત્યનારાયણ ભગવાનની મહિમા તથા સનાતન ધર્મના સંસ્કારો અંગે ભાવિકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કથા દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ ભાવપૂર્વક કથાશ્રવણ કર્યું હતું. અંતમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

ત્યારબાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો અને ભક્તજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાનગતિ : કર્મચારી પ્લાન્ટની બહાર પરિવાર સાથે ધરણા પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!