Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામનાં આશા વર્કરોને મહેનતાણું ન મળતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝનોર ગામનાં આશા વર્કરોને પૂરતો પગાર ન મળતા તમામ વર્કરોએ આજરોજ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ આવેદનમાં જણાવ્યુ છે કે અમે કોવિડ-૧૯ ના સમયગાળામાં જીવનાં જોખમે કોરોનાનાં દર્દીઓની સેવા કરીએ છીએ, અમે અમારા પરિવારની પરવાહ કર્યા વિના કોરોના દર્દીઓની દિવસ રાત સેવા કરતા હોય તેમ છતાં સરકાર દ્વારા અમોને પૂરતું મહેનતાણું ન ચૂકવાતા અમારા દ્વારા તા.૨૪/૫/૨૦૨૧ નાં રોજ કલેકટર સમક્ષ લેખિતમાં માંગણી કરવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા આશા વર્કરો જેવા નાનાપાયા પર કામ કરતાં લોકોને પગાર ન ચૂકવાતા હોય આથી આજરોજ ઝનોરનાં આશા વર્કરોએ સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવી પડે છે. સરકાર દ્વારા નાનાપાયાનાં કાર્યકર્તા લોકો માટે પગારની ચુકવણી ન કરવામાં આવતા આજે આશા વર્કરોને રોડ પર ઊતરવું પડે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું છે તમામ ધટના CCTV કેમેરામાં કેદ થઈ

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે પ્રી-પ્રાઈમરી વિભાગમાં અમ્બ્રેલા ડે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!