Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બે વર્ષમાં 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમી ગામ.

Share

આજે 5 જૂન,વિશ્વ પર્યાવરણ દિવસ છે.આજે આપણે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના નાનકડા કુંવરપરા ગામની વાત કરી છે. જે આખુ ગામ વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે. ગામના પરીઆવરણ પ્રેમી સરપંચ નિરંજન વસાવાએ આખા ગામને જાગૃત કર્યા અને પહેલા વર્ષે 11000, પછી બીજા વર્ષે બીજા 11000 વૃક્ષો વાવ્યા અને જોત જોત જોતામાં મહેનત રંગ લાવી.ગામના ભાઈબહેનો તેમજ ગ્રામજનોએ અને 80 થી 100 ફુટ નીચે ચેક ડેમમાંથી ઘડે પાણી ભરી ભર ઉનાળામાં પણપાણી આપી આ વૃક્ષોનું જતન કર્યું.અને આજે ગામની ગૌચર જમીનમાં 22000 વૃક્ષો નુ રોપણ કરેલ હતું. જે આજે 15 થી 20 ફુટ ઉચા ઝાડ બની ગયા છે.આજે આજે વિશ્વ પર્યાવરણ દિવસે કુંવરપરા ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા વધુ 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છેઅને કોરોના =મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼= એકમાત્ર ઉપાયછે એ પણ સમજાવ્યું. આ કામગીરી માટે સરપંચ નિરંજન વસાવા ને રેવાનાં મોતી એવોર્ડથી ખાસ સન્માનવામાં આવ્યા.એકમાત્ર આપણી પૃથ્વી પર જીવન છે જયા કુદરતે આપણને ભરપૂર મફત ઓક્સિજન આપ્યો છે ત્યારે આજે કોરોના મહામારીમાં લોકો ઓક્સિજનના આભાવે લોકો તરફડી રહ્યા છે આજે દેશભર મા ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે ત્યારે ભરપૂર કુદરતી ઓક્સિજન આપતા કોરોના મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય બચ્યો છે. ત્યારે આજે પરીઆવરણ દિવસે આપણે સૌ પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કુંવરપરાના ગ્રામજનોએ કર્યો હતો.
કુંવરપરા ગ્રામ પંચાયત સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે અમારા ગામ કુંવરપુરા ગામમાં બે વર્ષ મા 22000 વૃક્ષો વાવ્યા હતા.પહેલા વર્ષે 11000 અને ગયા વર્ષે 11000અને હવે આ વર્ષે બીજા 5000 થી વૃક્ષ વાવશું. ગત વર્ષનાવૃક્ષ આજે ફુલ્યા ફાલ્યા છે. કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રો ના સહયોગથી અમે સહુ ગ્રામજનો ભેગા મળીને પોણા બે વર્ષ પહેલા વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22000 વૃક્ષો નુ રોપણ કરેલ હતું. જે આજે 15 થી 20 ફુટ ઉચા ઝાડ બની ગયા છે. અમારે ત્યાં પાણીનો અભાવ હોવા છતાં અમારા ગામના વડીલો ભાઈઓ બહેનો અને યુવા મિત્રો એ તેમજ ગ્રામજનોએ અને 80થી 100ફુટ નીચે ચેક ડેમ આવેલ છે ત્યાંથી ઘડે ઘડે પાણી ભરી અમે ભર ઉનાળામાં પણ આ વૃક્ષોનું જતન કર્યું હતું.

હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. અસહ્ય તાપ પડી રહ્યો છે એવા સમયમાં અમને અને અમારા સમગ્ર ગ્રામજનો અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારી ગૌચર જમીનમાં આટલા સુંદર મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પશુ પક્ષીઓ જીવજંતુઓ અને અમારા ગ્રામજનો આનો આનંદ લઇ રહ્યા છે

Advertisement

આવનારા દિવસોમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે. એના પણ ટૂંક સમયમાં ખાવાલાયક ફળ આવશે તેનો પ્રાણીઓ પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બનશે. અમારા ગ્રામજનો દ્વારા આપ સર્વે ભાઈઓ-બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ આપણા વિસ્તારમાં ગૌચરની જમીન છે કે આપણા ખેતરમાં શેરડી કે આપના વાડામાં આપના ઘરના આંગણે આવા સુંદર મજાના વૃક્ષો નું રોપણ કરો આવનારા દિવસોમાં આપ સહુ કુદરતની મજા માણો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમયમાં સમગ્ર વિશ્વમાં લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે એના માટે ઓક્સિજન તેમજ દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ આજે ઓક્સિજન બનાવતી કંપનીઓ માં પણ આજે ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પૃથ્વીની રચના કરનાર ભગવનનો આભાર માનવો જોઈએ. આપણને આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિએ આપ્યું છે એમાંથી આપણને મળી રહે છે જો આવનારા દિવસોમાં આપણે વૃક્ષોરોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખુબ જ મુશ્કેલીઓ આવવાની છેએમ કુંવરપુરા ગ્રામજનોએપોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કડકિયા આંતર કોલેજ વકૃત્વ સ્પર્ધા કે.ઈ.સી કેમ્પસ અંકલેશ્વર ખાતે યોજાઈ

ProudOfGujarat

તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!

ProudOfGujarat

દિલ્હીના જેએનયુમાં બનેલી ધટનાના પડઘા હવે ભરૂચમાં પણ પડી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!