Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

Share

આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલોએ ખૂબ જ નિંદનીય છે. આજે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કોંગ્રેસ અગ્રણી સંદીપ મંગરોલ રૂબરૂ મુલાકાત લીધી હતી. ખૂબ જ બર્બરતા પૂર્વકનું કૃત્ય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં કાયદો અને વ્યવ્સ્થાપન જાળવવામાં નિષ્ફળ નીવડી છે. અનેક વિરોધી પક્ષના રાજકારણીઓને ટાર્ગેટ કરી વેર ભાવની ભાવનાથી હુમલાઓ ભરૂચ જીલ્લામાં અનેક થયા છે.

દિનેશ અડવાણી દ્વારા અસામાજીક તત્વોની ગેરકાયદેસરની પ્રવૃતિઓ રોકવા સામે કાયદાકીય લડત સામે હમેશા ઝઝૂમતા રહ્યા છે. ત્યારે આ પ્રકારનો હુમલો એ દિનેશ અડવાણી ઉપરનો હુમલો નથી પણ આ હુમલો કાયદાનું પાલન કરાવનારા અને સમાજને દિશા બતાવનારી વિચારધારા ઉપરનો હુમલો છે. સરકારની કાયદો અને વ્યવસ્થાની પોલ આવી ઘટનાઓથી ખૂલી પડી ગઈ છે. સરકાર અને પોલીસ તત્કાલીક ધોરણે હુમલાખોરોની ધરપકડ કરે અને કડક સજા કરે જેથી આવનારા સમયમાં ફરીથી આ પ્રકારની કોઈ નિંદનીય ઘટના ન સર્જાઈ શકે તે બાબતે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ ગુજરાત ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણ’ નાં કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે નોળીયા કંપનીમાં બાર પરીવારને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!