Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કાંકરિયાના ધર્માતરણના ગુનાના આરોપીઓની જામીન અરજી નામંજુર કરતી નામદાર અદાલત.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે ધર્માતરણના બનાવો બન્યા હતાં. આ ધર્માતરણના પ્રકરણે ચકચાર મચાવી હતી તેમજ ધર્માતરણનાં ગુનાઓ અંગે આમોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેના આરોપીઓની જામીન અરજી નામદાર અદાલતે ફગાવી દેતાં જામીન નામંજુર થયા હતાં.

આ અંગે વિગતે જોતા આમોદ પોલીસ સ્ટેશનમાં તા.૧૫/૧૧/ ૨૦૨૧ ના રોજ ફરીયાદી પ્રવિણ વસંતભાઈ વસાવાએ -૦૯ આરોપીઓ સામે ધર્માતરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં શબ્બીર બેકરીવાલા સાથે કુલ 9 આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -૪ તથા ઇ.પી.કો. કલમ -૧૨૦ ( બી ) , ૧૫૩ બીસી), ૫૦૬ ( ૨ ) મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન ચાર આરોપીઓ જેમાં અબ્દુલ અજીજ પટેલ એટલે કે ધર્માતરણ પહેલા અજીત છગનભાઇ વસાવા યુસુફજીવણભાઇ પટેલ એટલે કે ધર્માતરણ પહેલા મહેન્દ્ર જીવણભાઇ વસાવા ઐયુબ બરકત પટેલ એટલે કે ધર્માતરણ પહેલા રમણ બરકતભાઇ વસાવા અને ઇબ્રાહીમ પુના પટેલ એટલે કે ધર્માતરણ પહેલા જીતુ પુનાભાઇ વસાવા તમામ રહે – કાંકરીયા, તા.આમોદ , જિ.ભરૂચ ની તા.૧૬/૧૧/૨૦૨૧ નારોજ ધરપકડ કરવામાં આવી હતી જયારે તા.૩૦/૧૧/ ૨૦૨૧ ના રોજ આ આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૬૬,૪૬૭, ૪૬૮,૪૭૧ તથા એટ્રોસીટી એકટ ૩ ( ૨ ) (એફ, જી ) મુજબની કલમ ઉમેરાની અરજી દાખલ કરતા નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટ ભરૂચ દ્વારા આ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ આરોપીઓના જામીન આમોદ કોર્ટથી નામંજુર કરવામાં આવતા આરોપીઓએ મેપ્રિન્સિપાલ અને ડીસ્ટ્રીકટ જજ ભરૂચની કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જામીન અરજીની સુનવણી થતા નામદાર કોર્ટ દ્વારા તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ તમામ આરોપીઓના જામીન રદ્દ કરતો હુકમ કરેલ છે.

Advertisement

Share

Related posts

લ્યો બોલો – અંકલેશ્વરમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના મીની ટેમ્પો દ્વારા જ જાહેરમાં કચરો નિકાલ કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં પહાજ નજીક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની બિલ્ડ વેલ એન્જિનિયર્સ માં ૫.૧૦ લાખની ચોરી, ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરતી કંપનીમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!