Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

આજે રામ ભક્ત હનુમાનજીનાં જન્મોત્સવને લઇ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ, બાઇક રેલી, મહાપ્રસાદી, ભજન કીર્તન, કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી હનુમાનજી દાદાના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.

એક વાયકા મુજબ હજારો વર્ષ પહેલા ઝાડેશ્વર ગામ તરફથી ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે હનુમાનજી મંદિર નદી કિનારે એક ટેકરા ઉપર સ્થાપિત હતું ત્યારે ભગવાન સ્વામિનારાયણને ઝાડેશ્વર ગામના આગેવાનો સાથે ચર્ચા કરી ભગવાને જણાવ્યું હતું કે આ મંદિરને આવનાર દિવસોમાં ગામની વચ્ચે લઈ જજો આવનાર દિવસોમાં આ ગામનો ભવ્ય વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે ભગવાનને હનુમાનજી દાદાને પણ ગામની વચ્ચે સ્થાપિત કરવામાં આવે જેથી કરી ગામ લોકો પર દાદાની અમી દ્રષ્ટિ આશીર્વાદ કાયમી રહે. આથી 300 વર્ષ પહેલા ગ્રામજનોએ નદી કિનારે દાદાની મૂર્તિ હતી જેને લઇ અત્યારે ઝાડેશ્વર ગામનાં મધ્યમાં સ્થાપિત કરી છે ત્યારથી જ ગામનો વિકાસ થવા લાગ્યો છે એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યકાળને જન્મદિવસ જણાવતા સો. મીડિયાના માધ્યમથી ભાજપા નેતાઓને ઝાટકી કાઢ્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૩.૮૨% મતદાન…

ProudOfGujarat

અંકલેશ્વર બાળકોના અપહરણની ઘટના અંગે આવેદનપત્ર અપાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!