Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

Share

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ડાયટ ભરુચ ઇન્ચાર્જ પ્રાચાર્યા આર.આર.સેંજલિયા અને લેક્ચરર ડો.જતિન મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ધોરણ ૧ થી ૫ માં આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળો જેમાં બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતર કામ,ચીટકકામ, ગીત-સંગીત, પપેટ શો, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા જેવી પ્રવૃતિઓ યોજવામાં આવી.

જેમાં ૩૫૯ શાળાઓનાં વિધાર્થીઓ સહભાગી જોવા મળ્યા હતા. જ્યારે ૧ થી ૮ માં જીવન કૌશલ્ય આધારિત મેળાના ૮ વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાં ૫૫૪ શાળાઓનાં વિધાર્થીઓ સહભાગી જોવા મળ્યા હતા. જ્યારે ફક્ત ધોરણ ૬ થી ૮ ની ૨૮ શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. બાળમેળા – લાઈફ સ્કીલ આધારિત મેળા ઉપરાંત ટોક-શો તથા નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓ ભરૂચ જિલ્લાની ઘણીબધી શાળાઓમાં યોજવામાં આવી હતી. સમગ્ર બાળમેળા – લાઈફ સ્કીલ આધારિત મેળાને અસરકારક બનાવવામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિધાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભરૂચ – અંકલેશ્વર શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ડાયટ ભરૂચના સમગ્ર સ્ટાફનો અમૂલ્ય સહકાર મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સી.એ.બી અને એન.આર.સી. નો જોરદાર વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર પથકમાં અજાણ્યા વાહનની અડફટે આવતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!