Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

Share

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા ૫ માં થી ૩ વિદ્યાર્થીઓ ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યા છે. જ્યારે બે વિધાર્થીઓ ને બચાવી લેવાયા છે.

Advertisement

વડતાલમાં સોમવારે ધુળેટી મનાવવા આવેલા બપોરે ૧૨ વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું. જે વડતાલના ગોમતી તળાવમાં ૧૨ માં થી ૫ વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં ન્હાવા પડેલા ૫ વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા કરતાં સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ ૨ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે ૩ વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા. ત્યારબાદ તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.  આ સમગ્ર ઘટનાની જાણ વડતાલ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.
વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. ગ્રુપના ૧૨ લોકો ધૂળેટી રમ્યા બાદ તળાવમાં  ન્હાવા આવ્યાં હતાં તે સમયે પગ લપસતાં ઘટના બની છે.
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

રાષ્ટ્રપતિના હસ્તે વડોદરાના બે ક્વોલિફાઇડ નર્સિંગ પ્રોફેશનલને ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ એનાયત કરાયા.

ProudOfGujarat

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!