Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

રહિયાદ ચોકડી પાસે કેમિકલ ભરેલુ ટેન્કર પલટી માર્યું: સદનશીબે કોઇને જાનહાની નહી

Share

ભરૂચ.
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી દિપક ફિનોલિક કંપનીમાંથી સંતોક સિંગ નામનો એક શખસ કેમિકલ ભરેલું ટેન્કર વડોદરા જવા માટે નિળક્યો હતો.દરમિયાનમાં રહિયાદ ચોકડી પાસેથી પસાર થતાં સમયે અન્ય ટ્રકે સંતોકસિંગના ટેન્કરને રોડની સાઇડમાં દબાવતાં તેમનો સ્ટિયરીંગ પર કાબૂ નહીં રહેતાં ટેન્કર રોડની સાઇડમાં પલટી મારી ઉંધુ થઇ ગયુ હતું.

ઘટનાને પગલે આગ ન ભભુકે તે માટે તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસ પણ આવી પહોંચી હતી. અકસ્માતમાં ડ્રાઇવર સંતોક સિંગને સામાન્ય ઇજાઓ થઇ હતી.  જોકે, મામલામાં ટેન્કરચાલક સંતોક સિંગે કે પછી ટેન્કર માલિક કે પછી કંપની સંચાલક કોઇએ પણ આ ઘટનાને લઇને આ લખાય છે ત્યા સુધી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ડ્રાઇવર સંતોક સિંગ ટેન્કર ચલાવી રહ્યાં હતાં ત્યારે તેઓએ નશો કર્યો હતો કે કેમ તેવા પ્રશ્ન સર્જાયા છે.ઉપરાંત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હોવા છતાં મામલામાં કોઇ ફરિયાદ કેમ નથી થઇ, કંપનીમાંથી કેમિકલ નિકાલ માટેનો પરવાનો હતો કે કેમ, કેમિકલ કયાં પ્રકારનું હતું. કેમિકલ વરસાદી કાંસમા ઢોળાઇ ગયું હોવાનેકારણે તેનાથી કોઇને નુકસાન થવાની ભિતી પણ સેવાઇ રહી છે. ત્યારે એ મામલામાં કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા પ્રશ્નો ઉભા થયાં છે.
Advertisement

Share

Related posts

સુરત: જન્માષ્ટમીના પર્વને લઈ એક ભક્તએ ભગવાન કૃષ્ણ માટે 5 કિલો ચાંદીનું પારણું તૈયાર કરાવ્યું

ProudOfGujarat

રામજન્મભૂમિ અયોધ્યાના ચુકાદાથી સુરતમાં ઉત્સવનો માહોલ.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!