Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિક્રમાવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવા તંત્રએ રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપી

Share

ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે

ભરૂચના દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સમુદ્રમાં ઓટના સમયે બોટ કિનારા સુધી પહોંચી ન શકતા પરિક્રમાવાસીઓને જીવનજોખમે બોટમાંથી પાટિયા ઉપરથી ચાલી કિનારે પહોંચવું પડી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું.વિડીયો વાયરલ થયા બાદ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિની તપાસ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં રૂપે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જોખમમાં આંશિક ઘટાડો થયો હોવાનું કહેવાય છે.જો કે, જેટી પર રેલિંગવાળો સુરક્ષિત રેમ્પ ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા પર ચાલી કિનારે ઉતરવું પડી રહ્યું છે, જે જોખમભર્યું સાબિત થઈ શકે છે.આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો અને પરિક્રમાવાસીઓ દ્વારા વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર ચુડા પાક વિમાના ફોર્મ નહીં સ્વીકારતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ ગેસ વછૂટતા જીપીસીબીની ટીમમાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની જામદુધઈ તાલુકા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!