આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વડપણ હેઠળ ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.
ચોમાસાની ઋતુ દરમિયાન મેધરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૫ ફુટની સપાટીએ છલોછલ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં ૬૭૨૯.૯૦ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ...
