Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદના બિલોદરા ગામના લોકો કપિરાજના આતંકથી પરેશાન.

Share

નડિયાદ તાલુકાના બિલોદરામાં તોફાની કપિરાજે આતંક મચાવ્યો છે. તોફાને ચડેલા કપિરાજે આઠ જેટલી વ્યક્તિઓને બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયા છે. કપીરાજના આતંકથી સોસાયટી વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં એક તોફાની કપીરાજ આતંક મચાવી રહ્યો છે. તોફાની કપીરાજના ભયથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. આ કપીરાજ રાજે બિલોદરામાં આસ્થા પુર, સાઈ દર્શન તેમજ ચંદ્ર દર્શન સોસાયટી સહિત ગામમાં આઠ જેટલા ઇસમોને હાથ, પગ પર બચકા ભરી લોહી લુહાણ કરી દેતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બિલોદરાના સરપંચે આ કપિરાજ અંગેની જાણ કરતા વનવિભાગના અધિકારીઓ પોતાની ટીમ સાથે કપીરાજને પકડવા દોડી ગયા હતા. વન વિભાગ દ્વારા કપીરાજને પકડવા પાંજરું મૂકી તોફાની વાનરને પકડવા કામગીરી હાથ ધરી છે. પરંતુ હજી સુધી તોફાની કપીરાજને પાંજરામાં પુરવામાં સફળતા મળી નથી. આમ તોફાની કપિરાજના હુમલાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

ProudOfGujarat

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયતની યોજનાઓની જાણકારી હવે આંગળીના ટેરવે મળી રહેશે : દેશમાં પ્રથમ એપ્‍લીકેશન લોન્‍ચ નવસારી જિલ્લામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!