Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોજગાર કચેરી નર્મદા દ્વારા બાળકોના ભાવિ ઘડતર અંગે પ્રવાસી શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

Share

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી હાઇસ્કુલ રાજપીપળા ખાતે પ્રવાસી શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અઘિકારી એમ.એસ.પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાનના તાલીમાર્થીઓને બાળકોના ભાવિ ઘડતર અને કારકીર્દિ માર્ગદર્શન મળે તે હેતુથી આ ઉમદા આયોજન કરાયું હતું. જેમાં વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓ સાથે તેમના ઉજ્જવળ ભાવિને ધ્યાનમાં રાખીને કઇ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે માટે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે પ્રવાસી શિક્ષકોને વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક યોગ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આડેધડ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો ડિટેન કરાયા.

ProudOfGujarat

નારેશ્વર ચોકડી પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર એક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!