Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોજગાર કચેરી નર્મદા દ્વારા બાળકોના ભાવિ ઘડતર અંગે પ્રવાસી શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

Share

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી હાઇસ્કુલ રાજપીપળા ખાતે પ્રવાસી શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અઘિકારી એમ.એસ.પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાનના તાલીમાર્થીઓને બાળકોના ભાવિ ઘડતર અને કારકીર્દિ માર્ગદર્શન મળે તે હેતુથી આ ઉમદા આયોજન કરાયું હતું. જેમાં વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓ સાથે તેમના ઉજ્જવળ ભાવિને ધ્યાનમાં રાખીને કઇ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે માટે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે પ્રવાસી શિક્ષકોને વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ

ProudOfGujarat

કાસ્ટિંગ કાઉચની વાસ્તવિકતાને નકારી શકાય નહીં, પરંતુ તેનો જવાબ કેવી રીતે આપવો તે દરેક વ્યક્તિ પર છે: અભિનેત્રી સીરત કપૂર

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક સિલ્વર બ્રિજ ખાતે ચાલુ ટ્રેન માંથી એક પરપ્રાંતીય યુવાન પડી જતા ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!