સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે.1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ.
સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તોડફોડ કરવામાં કુલ 10 શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવી...
