Proud of Gujarat
Uncategorized

વીજ કંપની દ્વારા રાજપારડીના તમામ ફિડરો બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યુ

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ વીજ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ૧૨ જેટલા ફિડરો બંધ કરીને પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી.આજરોજ શનિવારના દિવસે વીજકાપ લઇ જેટકો અને વીજ કંપનીની રાજપારડી કચેરીના કર્મચારીઓ દ્રારા પેનલો બદલવા ઉપરાંત લાઇનો તેમજ ડિ.પી.ઓનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતુ.આ અંગે મળતી વિગતો મુજબ જેટકોના ૬૬ કે.વી.ના સમારકામના પગલે શનિવાર સવારથી સાંજ સુધી વીજકાપ રાખવામાં આવ્યો હતો. અને જુની તેમજ ટેકનિકલ ક્ષતિ ધરાવતી પેનલો બદલવાની કામગીરી કરવા માટે પચાસ જેટલા કર્મચારીઓએ સવારથી કામગીરી આરંભી હતી.આજે વીજકાપ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રાજપારડી કચેરી દ્રારા પણ ૩૦ જેટલા કર્મચારીઓની બનેલ ટીમો દ્વારા રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ ડિ.પી.,વીજ લાઇનો તેમજ વીજપોલને લગતુ જરુરી સમારકામ કરવામાં આવ્યું હતુ. અછાલિયા,સંજાલી,રજલવાડા,રાજપારડી ઉપરાંત અન્ય ફિડરોમાં વીજ પ્રવાહ બંધ રહેતા લોકો ગરમીમાં સેકાયા હતા.પરંતુ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સમારકામ જરુરી હોવાથી વીજ કર્મચારીઓ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમારકામ સંપન્ન થયે વીજ પુરવઠો ચાલુ કરાશે એમ જણાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

રોકસ્ટાર ડીએસપીએ તેમના આદર્શ માઈકલ જેક્સનને હૃદયસ્પર્શી પ્રદર્શન અને ભાવનાત્મક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

વાલીયા તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓમાં PM પોષણ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ : સંચાલક-કમ-કુક, કુક-કમ-હેલ્પર અને હેલ્પરની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

ProudOfGujarat

પત્નીના મોત બાદ પોલીસ અને તબીબો પર ગંભીર આક્ષેપ, ન્યાય માટે પરિવાર પહોંચ્યો ડી.એસ.પી. કચેરીએ : તપાસમાં વિલંબ અને ડોક્ટરોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો પતિનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!