Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાના રાણીપુરા ગામમાં બે કપીરાજનાં આતંકથી ગામમાં ભય ઊભો થયો છે.

Share

ઝધડીયા તાલુકાના રાણીપુરા ગામે એક અઠવાડિયામાં કપીરાજે બે ઇસમોને નિશાન બનાવી ઇજાગ્રસ્ત કર્યા છે. વસંતભાઈ નામના વયસ્કને ધક્કો મારી ફેંકી દેતાં ત્રણ ફેકચર થયાં છે. વિરલ નામના યુવકને બચકુ ભરતાં ગામમાં કપીરાજના ભયનો માહોલ ઉભો થયો છે. ઝધડીયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા વસંતભાઈ મગનભાઈ પટેલ ગત મંગળવારે તેમનાં ધર બહાર બેસી પેપર વાંચતા હતા ત્યારે અચાનક બે વાનર ડાધુઓ ઝધડતા ઝધડતા આવતા તેમાના એકે વસંતભાઈને ધક્કો મારી ફેંકી દેતા તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને ડાબા પગની જાંધમા ત્રણ ફેકચર થયા હતા. આજરોજ ફરી વાનર ડાઘુઓમાં ઝધડો થયો હતો જેમાં ક્રોધે ભરાયેલા વાનર ડાધુઓ વિરલભાઇ નામના યુવકને ઘુંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કર્યો હતો. તેણે પ્રાથમિક સારવાર લેતા તબીબે આઠ ટાંકા લેવા પડ્યા હતા. રાણીપુરા ગામમાં કપીરાજે એક સાથે બે વ્યકિતઓને નિશાન બનાવતા ગામમાં કપીરાજનો ભય ઊભો થયો છે. કપીરાજના આતંક બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી જરૂરી પગલાં લેવા રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

જીતનગરના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત..

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર અને ભથાણ વચ્ચે બાઈક સવારનો અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નિપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!