Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુરમાં હનુમાનજીને ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો.

Share

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવારના રોજ રંગબેરંગી ફુગ્ગાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી, પેંડા, લાડુ જેવી વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાનજીને કરાયેલ અદભૂત શણગાર સાથેના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર શહેર પોલીસે માનસી મોટર્સ શોરૂમમાં ઉચાપત કરનાર કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ભરૂચ શાખા દ્વારા આવેદનપત્ર પાઠવી હાથરસની ઘટનામાં સંડોવાયેલ સામે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

इरफान खान अभिनीत “Blackमेल” की कहानी एक रियल कपल से प्रेरित है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!