Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર NH-48 પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યું

Share

અંકલેશ્વરના NH-48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા HK ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં  આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ  અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી  અને આગ પર પાણીના માળા મારવાની કામગીરી શરૂ કરી. આગના કારણે ધુમાડાના ઘેરા ગોટાળા દૂર સુધી દેખાયા હતા. ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ  છે, પરંતુ પ્રાથમિક રીતે વાયર શોર્ટસર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નશીલ છે અને  નજીકના વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી.

Share

Related posts

અખાત્રીજના દિવસે રાજ્યના 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ, CM સહિત અનેક નેતાઓ જોડાયા

ProudOfGujarat

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!