Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિક્રમાવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવા તંત્રએ રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપી

Share

ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે

ભરૂચના દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સમુદ્રમાં ઓટના સમયે બોટ કિનારા સુધી પહોંચી ન શકતા પરિક્રમાવાસીઓને જીવનજોખમે બોટમાંથી પાટિયા ઉપરથી ચાલી કિનારે પહોંચવું પડી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું.વિડીયો વાયરલ થયા બાદ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિની તપાસ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં રૂપે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જોખમમાં આંશિક ઘટાડો થયો હોવાનું કહેવાય છે.જો કે, જેટી પર રેલિંગવાળો સુરક્ષિત રેમ્પ ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા પર ચાલી કિનારે ઉતરવું પડી રહ્યું છે, જે જોખમભર્યું સાબિત થઈ શકે છે.આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો અને પરિક્રમાવાસીઓ દ્વારા વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

Advertisement

Share

Related posts

ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550 થી વધુ પોલીસ તૈનાત કરાયા.

ProudOfGujarat

ઉમરપાડાના માંડણપાડા ગામની મહિલા વીરા નદીના ધસમસતા પૂરમાં ડૂબી.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં સરકારી શાળાઓની કફોડી હાલત-ખાનગી શાળાઓની ભરમાર…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!