Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંઘાર ગામની ઇદગાહમાં અચાનક આગ લાગતા અફરાતફરી :ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ, કોઈ જાનહાનિ નહીં

Share

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં આવેલી ઇદગાહમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બનાવે સ્થાનિકોમાં દોડધામ મચાવી દીધી હતી.

આગ લાગતા ઇદગાહ વિસ્તારમાંથી ધુમાડાના ગુડગુડાટ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ પણ ફાયર ટીમને સહયોગ આપ્યો હતો.

આગ નજીક આવેલા એક કાચા મકાનના વાડા સુધી પહોંચી જતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચના ભઠિયારવાડમાં ગૌહત્યા કરનારા ત્રણ ઝબ્બે: બે ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!