Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૂતરાની બરોળમાં ગાંઠનું નિદાન: સફળ સ્પ્લીનેક્ટોમી સર્જરીથી જીવ બચાવ્યો

Share

 

હાલમાં એક કૂતરાની બરોળમાં (સ્પ્લીન) ગાંઠ હોવાનું નિદાન થતાં તાત્કાલિક સારવાર માટે જટિલ સર્જરી (સ્પ્લીનેક્ટોમી) કરવાની જરૂરીયાત ઊભી થઈ. આ સર્જરી ડૉ. કૃણાલ અને ડૉ. હિમાલી દ્વારા ખૂબ જ નિપુણતાપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી.

Advertisement

સ્પ્લીન કે બરોળ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, જેને દૂર કરવી મોટી જટિલતા ભરેલી હોય છે. સારવાર વિના આ ગાંઠથી કૂતરાની તબિયત ગંભીર રીતે પ્રભાવિત થતી. ડૉક્ટરો દ્વારા યોગ્ય નિદાન અને સમયસર થયેલી સર્જરીની મદદથી કૂતરાની તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે.

સર્જરી બાદ કૂતરો સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે. આ સફળ સર્જરી ડૉ. કૃણાલ અને ડૉ. હિમાલીની કુશળતા અને સમર્પણનું દાખલું છે. આ પ્રકારની જટિલ સર્જરીથી પશુઓના આરોગ્ય સુધારવામાં મોટી મદદ મળે છે અને પશુ ચિકિત્સા ક્ષેત્રે પણ નવી આશા જગાવે છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં નવા ચાર પોઝિટિવ કેસ આવતા ફફડાટ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં વધુ ૧૯ કેસો મળી આવ્યા, અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા ૩૩૩ થઈ.

ProudOfGujarat

નેત્રંગમાં ટેમ્પામાંથી સામાન ઉતારતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!