ભરૂચ:
ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement
જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં અંદાજે 1.5 ઇંચ નોંધાયો છે. જ્યારે વાલિયામાં 13 મી.મી., અંકલેશ્વર અને વાગરામાં 12-12 મી.મી., ઝઘડિયામાં 8 મી.મી., હાંસોટમાં 5 મી.મી., જંબુસરમાં 3 મી.મી. તેમજ આમોદ અને ભરૂચમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો છે.
છૂટોછવાયા વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. સાથે જ વરસાદના કારણે ખેતરોમાં ભેજ વધતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
