Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

અંકલેશ્વર: જી.આઇ.ડી.સી મંદિર પાસે આવેલ આદેશ્વર એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વિનોદભાઈ પટેલ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર પાસે આવેલ આદેશ્વર એવેન્યુ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઘર દીઠ બે જેટલા વૃક્ષોનું જતન કરશે તેવા સંકલ્પ ની સાથે કુંડા ઉપર પરિવારના નામ લખી જવાબદારી સ્વીકારવામાં આવી હતી અને પર્યાવરણને મજબૂત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને તમામ લોકો આ રીતના પોતાના ઘરની આગળ પોતાની જિમ્મેદારી પર વૃક્ષ રોપણ કરે જેથી કરી પર્યાવરણને ફાયદો થાય તેવી પણ ત્યાંના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

વાવાઝોડાને લઈ શહેર સહિત ૧૦૦ થી વધુ ગામમાં અંધારપટ છવાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!