Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલી પ્રાથમિક કુમારશાળામાં કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર જર્જરિત હાલતમાં થઈ ગયું હતું જેનો જીર્ણોદ્ધાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન આગળ આવ્યું હતું.

જે સ્વરૂપે આજરોજ અદાણી ફાઉન્ડેશન તરફથી ઉષાબેન મિશ્રા તથા મહેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાની SMC ના પ્રમુખ સલીમભાઈ કડુજી, કમિટીના સભ્યઓ, પ્રા. કુમારશાળા નબીપુરના આચાર્ય ઇલાબેન રાણા, શાળાનો સમગ્ર સ્ટાફ, નબીપુર ગામના સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો પણ હાજર રહયા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસમાં ભાગીદાર બનતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

ProudOfGujarat

ભરૂચમાં યુવાનને અજાણ્યા બાઇક સવાર તરફથી ધમકી: “ફરી રસ્તા પર દેખાયો તો જાનથી મારી નાખીશ

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 1,03260 મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!