Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

Share

આપણો દેશ જયારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશનથી પિરામણ નાકા નગરપાલિકા ઓફિસ સુધી તિરંગા યાત્રા રેલીનું આયોજન ચીફ ઓફિસર કે.એમ. કોલડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઈ.એન.જીનવાલા સ્કુલના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, પ્રજ્ઞેશ શુક્લ, દીપક મોદી અને સ્કુલના બાળકો રેલીમાં જોડાયા હતા અને 13 થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને વ્યવસ્થિત રીતે તિરંગો લગાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં સૌ વડીલો ભાઈઓ – બહેનો, કર્મચારીઓ, વિદ્યાર્થી મિત્રો અને દેશ પ્રેમી જનતા આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના તવરા ગામે 40 થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓની ચોરી થતાં ખેડૂતોમાં આક્રોશ

ProudOfGujarat

પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીની FCI ગુજરાતના ડિરેકટર પદે નિમણુંક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!