Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

Share

આપણો દેશ જયારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશનથી પિરામણ નાકા નગરપાલિકા ઓફિસ સુધી તિરંગા યાત્રા રેલીનું આયોજન ચીફ ઓફિસર કે.એમ. કોલડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઈ.એન.જીનવાલા સ્કુલના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, પ્રજ્ઞેશ શુક્લ, દીપક મોદી અને સ્કુલના બાળકો રેલીમાં જોડાયા હતા અને 13 થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને વ્યવસ્થિત રીતે તિરંગો લગાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં સૌ વડીલો ભાઈઓ – બહેનો, કર્મચારીઓ, વિદ્યાર્થી મિત્રો અને દેશ પ્રેમી જનતા આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાને લઇને ગૃહિણીઓએ રોષ ઠાલવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ટ્રકની ટક્કરે વિજપોલ તુટતા નગરમાં વિજ પ્રવાહ ખોરવાયો.

ProudOfGujarat

માંગરોળનાં રણકપોરની દૂધ ઉત્પાદક મંડળીનાં પ્રમુખ પદે અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!