Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગો માટે અનાજ કિટ વિતરણ કાર્યક્રમ

Share

 

હોળી-ધુળેટીના રંગોત્સવ અને પવિત્ર રમઝાન માસના પાવન અવસરે માનવતા અને સેવાનો અનોખો સંગમ સર્જતો વિશેષ કાર્યક્રમ મકતમપુર સ્થિત જ્ઞાનસાધન આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ-નર્મદા જિલ્લા શાખા અને ડેકન કંપની, અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમ અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના ૨૫૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોને અનાજની કિટ તથા ચવાણાના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ધુળેટીનો પર્વ ખુશીઓ અને રંગો વહેંચવાનો સંદેશ આપે છે, જ્યારે રમઝાન માસ દાન, સહાનુભૂતિ અને કરુણાની ભાવના મજબૂત બનાવે છે.

આ બંને પવિત્ર અવસરને એક સાથે ઉજવી દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા શુભ હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા, સહકાર અને એકતાની ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી પ્રસરી ગઈ હતી.


Share

Related posts

કોરા ગ્રામપંચાયત ના સરપંચ ની અનોખી મદદ ની પહેલ કરી… જાણો શુ…

ProudOfGujarat

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ પાસે ના માર્ગ ઉપર થી સવાર ના સમયે એક યુવાન ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!