Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં વઢવાણા ગામે પાઈપલાઈન બાબતે કાકા ભત્રીજા વચ્ચે તકરાર…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રહેતા પ્રવિણસિંહ ડાહ્યાભાઈ મકવાણાની વડીલો પાર્જીત મિલકત પૈકીના ઘરના વાડાની જમીનમાં નવા મકાનનું બાંધકામ ચાલે છે. પ્રવિણસિંહના ભત્રીજાઓ હરેન્દ્રસિંહ તથા અશ્વિનભાઈ તેમની પાણીની પાઈપલાઈન તેમના કાકા પ્રવિણસિંહના નવા મકાનના ચાલતા બાંધકામની નીચે થઇને લઈ જવાનું કહેતા હોઇ, તે બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે પ્રવીણસિહે તેમની ફરિયાદમાં તેમના ભત્રીજા નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજિતસિંહ મકવાણા તથા અશ્વિનભાઈ ઉર્ફે લાલાભાઇ અજીતસિંહ મકવાણાએ તેમને નવું બાંધકામ તોડવા જતા અટકાવતા કાકા પર કોદાળા તથા લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હોવા બાબતની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવી હતી.

જ્યારે આ ઘટનામાં બીજી ફરિયાદમાં હરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે તેમના પિતાની માલિકીની જમીનમાં તેમના કાકા પ્રવિણસિંહ મકાન બનાવી રહ્યા છે, તેના નીચેથી તેમની પાણીની પાઈપલાઈન લઈ જવાનું કહેતાં તેના કાકા પ્રવિણસિંહે ના કહી ભત્રીજાને ગાળો બોલીને લાકડીનો સપાટો માથાના ભાગે મારી દેતા લોહી નીકળ્યું હતું. નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણાએ તેના કાકા પ્રવિણસિંહ ડાયાભાઈ મકવાણા, વિશ્વજીતસિંહ પ્રવિણસિંહ મકવાણા અને ઉષાબેન પ્રવીણસિંહ મકવાણા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર-ટાયર ફાડ રોડ રસ્તા બન્યા,તકલાદી માર્ગના કારણે અનેક વાહનોના ટાયર ફાટયા,વાહન ચાલકોને નુકશાન

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાય ની અંતિમવિધિ ધાર્મિક રીતે કરવામાં આવી….

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં અંતરિયાળ ગામો જ્યાં અંધારામાં રહેતા ગરીબોને કિટો સહિત દવાઓનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!