વાંકલ ।
શ્રી ગજાનંદ ગ્રુપ-વાંકલ દ્વારા રાધા અષ્ટમીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ગ્રુપના હોદ્દેદારો, સભ્યો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કેક કાપીને કરવામાં આવી હતી. ત્યારબાદ નાના બાળકોથી લઈને વડીલો અને ગ્રુપના સભ્યો માટે વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોમાં વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાત્રે ૮ વાગ્યાથી શરૂ થયેલો કાર્યક્રમ મોડી રાત સુધી આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ચાલ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગજાનંદ ગ્રુપના પ્રમુખ કૃતિક ઘાયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપના સભ્યો અંકુર મોદી, યાત્રિક મોદી, ડો. સુહાસ, રોનક મોદી, રોનક પંચાલ, દિનેશભાઈ મોદી અને રમણ પ્રજાપતિ સહિતના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગ્રુપના તમામ સભ્યોના સહયોગ અને અથાક પ્રયાસોથી રાધા અષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ સાથે મળીને પર્વની ઉજવણી કરી હિન્દુ સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.
